RBIએ હાલમાં જ એક નવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. RBI દ્વારા નોટિફિકેશન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે તે 500 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBI ની આ નવી 500 રૂપિયાની નોટમાં ઇનસેટ લેટર નહીં હોય.
આ નવી નોટને મહાત્મા ગાંધી ન્યૂ સીરીઝ અંતર્ગત જાહેર કરવામાં આવશે અને આ નોટની પાછળ છાપકામનું વર્ષ 2016 છપાયેલ હશે. આ નોટો પર RBIના ગવર્નર ઉર્જિત પટેલના સહી હશે.
ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ નવી નોટ 500ની એ નોટ જેવી જ હશે જે 8 નવેમ્બર 2016ના નોટિફિકેશન અંતર્ગત જારી કરવામાં આવી હતી. આ નોટો પણ મહાત્મા ગાંધી સીરીઝ અંતર્ગત જ આવશે. આ તમામ નોટ આરબીઆઈ અનુસાર કાયદાકીય રીતે ચલણમાં રહેશે.