ઉનાળા દરમિયાન પાણીથી ટળવળતી રાજકોટની જનતા માટે ખુશીના સમાચાર છે. જી હાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજકોટ ખાતે સૌની યોજનાનું ખાત મુહૂર્ત થયું.
આ યોજના પાછળ 325 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજ છે અને 5 મહિનામાં આ યોજનાનું કામ પૂર્ણ કરાશે. ત્યારે આ યોજનાને લઇને રાજકોટની વર્ષો જૂની પાણી સમસ્યાનો અંત આવશે અને લોકોની હાલાકી દૂર થશે. સાથો સાથે ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. અહીં મહત્વપૂર્ણ છે કે રાજકોટની મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીએ ટ્રાફીક ભવનનુ પણ ઉદ્ઘાટન કર્યું હતું.