સરકારે અઘોષિત આવકમાંથી સોનું રાખવાની નવી સીમા નક્કી કરી છે. પરંતુ તમને ખબર નહીં હોય કે ભારત પાસે કેટલો સોનાનો ખજાનો છે. અમારી રિપોર્ટમાં અમે તમને જણાવીએ કે ભારત પાસે અને ભારતીય પાસે કેટલું સોનું છે.
સોનું ખરીદવાના મામલે ભારતનો જવાબ નથી. લગ્ન પ્રસંગ હોય કે શોખની વાત મહિલાઓની સાથે પુરૂષો પણ અનેક અવસર પર સોનું પહેરવાનું પસંદ કરે છે. ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની હાલની એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે ભારતની પાસે 557.75 ટન એટલે કે 5 લાખ 57 હજાર 700 કિલોગ્રામ સોનું રિઝર્વ છે. એવામાં જો આ બધા સોનાને જો ટ્રકમાં ભરવામાં આવે તો આ લગભગ 62 ટ્રકને બરાબર થાય છે. સરેરાશ એક ટ્રકમાં 9 ટન વજનને બરાબર સામાન લોડ કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આ રિપોર્ટ દેશની સેન્ટ્રલ બેંકમાં સુરક્ષિત રાખેલા સોનાની જાણકારી આપે છે.
જનતા પાસે રાખેલા સોનાની વાત કરીએ તો તેનો આંકડો ખુબ વધારે છે. દેશની જનતા પાસે લગભગ 20 હજાર ટન સોનું છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો આયાતિ દેશ છે અને દર વર્ષે અહિં લગભગ 800 થી 900 ટન સોનું આયાત કરવામાં આવે છે.
ભારતની વાત કરવામાં આવે તો આ એક એવો દેશ છે કે જ્યાં માણસો કરતા પણ વધારે સોનું મંદિરો પર ચઢાવવામાં આવે છે. ભારતને દુનિયામાં સૌથી મોટો સોનાનો ઉપભોક્તા માનવામાં આવે છે. સોનાના પ્રાકૃતિક ભંડાર ન હોવાને કારણે ભારત દર વર્ષે 1000 ટન સોનું આયાત કરે છે. તે છતાં અમેરિકન સરકારે જેટલુ સોનું સુરક્ષિત રાખ્યું છે તેના કરતા સવા બે ગણું વધારે સોનું ભારતના પ્રમુખ મંદિરોમાં છે. આંકડાના આધારે 3000 ટન સોનું ભારતના પ્રતિષ્ઠિત મંદિરોમાં છે. દેશના બાલાજી મંદિર પાસે લગભગ 5500 કરોડ કરતા વધારે સોનાની સંપતિ છે. વર્ષ 2015માં જ આ મંદિરમાં લગભગ 832 કરોડ રૂપિયાનું સોનું અને બીજુ દાન ચઢાવવામાં આવ્યું હતું.