નોટબંધીના સરકારી ફરમાન બાદ લોકો 500 અને 1000ની નોટો દ્વારા 2.5 લાખ રૂપિયા સુધીની રકમ બેંકમાં જમા કરાવી રહ્યા છે. તેમની પણ તપાસ કરવામાં આવી શકે છે. સરકાર અઘોષિત ધન રાખતા લોકોની જે યોજના પર કામ કરી રહી છે. તે પ્રમાણે અઢી લાખ રૂપિયા સુધી ડિપોિ{ટ કરનારાઓથી પણ સવાલ જવાબ કરવામાં આવી શકે છે. સરકાર સંસદમાં આ અઠવાડિયે એક અમેંડમેંટ રજૂ કરી શકે છે.
બિનહિસાબી રકમ જમા કરાવતા લોકો માટે અમેંડમેંટ
રદ કરવામાં આવેલી નોટો દ્વારા જે લોકો બિનહિસાબી રકમ જમા કરાવી રહ્યા છે. તેમના માટે આ અમેંડમેંટ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી કે તેઓ 50 ટકા ટેક્સ ચુકવે અને 25 ટકા રકમ ચાર વર્ષમાં જીરો ટકા ઇન્ટરેસ્ટ પર લોક કરશે. આ રીતે તેમની પાસે તુરંત ઉપયોગ માટે બિનહિસાબી રકમનું માત્ર 25 ટકા જ રહેશે.. સ્કીમ અનુસાર એક સીમાથી ઉપરના તમામ મોટા ડિપોઝિટ્સના મામલાઓમાં જમાકર્તાના પૈસાના સ્ત્રોત અંગે સવાલ કરી શકાય છે કે તેની પાસેથી 50 ટકા ટેક્સ શા માટે લેવામાં ના આવે અને 25 ટકા રકમ અનિવાર્ય રૂપથી જીરો ઇન્ટરેસ્ટ પર શા માટે જમા કરાવવામા ન આવે.
ટેક્સ અધિકારીઓ રદ થયેલી નોટો વાળી તમામ મોટી ડિપોઝિટ્સની તપાસ કરી શકે છે. જેથી જાણી શકાય કે ક્યાંક અન અકાઉન્ટ વેલ્થ તો નથી કે પછી પરિવારના વિવિધ સભ્યોના ખાતામાં આવી કઇ રકમ વહેંચીને જમા કરાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી જન દન યોજનાના ખાતાઓમાં બેલેન્સ 9 નવેમ્બરથી 23 નવેમ્બર વચ્ચે 27 000 કરોડ રૂપિયાથી વધારે વધી ગયું છે. જેના પછી શંકા છે કે આ ખાતાઓનો ઉપયોગ મની લોન્ડ્રીંગ માટે તો નથી થઇ રહ્યો.