ભારતીય સેનાએ કરી સર્જિકલ સ્ટ્રાઇક જૂના હથિયારોથી પાર પાડવામાં આવ્યું ઓપરેશન જો કે રક્ષામત્રીએ હથિયારો બદલવાનો કર્યો હતો નિર્દેશ
સ્પેશલ ફોર્સેસના 11 દિવસ પહેલા નિયંત્રણ રેખા પાર જઇને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકીઓના 7 લોન્ચ પૈડને તબાહ કરી દીધા હતા. આ ઓપરેશનમાં એ જ જૂના હથિયારોથી પાર પાડવામાં આવ્યું છે. જેને રક્ષામંત્રી મનોહર પર્રિકરે પાછલા વર્ષે જૂનમાં બદલવાનો આદેશ આપ્યો હતો. હથિયારોની ખરીદીની પ્રક્રિયામાં મોડુ થતાં પૈરા કમાંડોને જૂના હથિયારોથી જ 29 સપ્ટેમ્બરની રાતે આતંકી ચોકીઓ પર હુમલો કરવો પડયો.
15 મહીનાથી નવા હથિયારો નથી મળ્યા
જૂના હથિયારોથી પાર પાડવામાં આવે છે ઓપરેશન
15 મહીનાથી નવા હથિયારો નથી મળ્યા છતાં જૂના હથિયારોથી પાર પાડવામાં આવે છે ઓપરેશન
નવા હથિયારો માટે કુલ ખર્ચ લગભગ 180 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ત્યારે થયું જ્યારે પર્રિકરે હથિયારોના આધુનિકરણને ફાસ્ટ ટ્રેક કરવાનો નિર્દેશ કર્યો. પાછલા વર્ષે જૂનમાં મ્યાંમારમાં સેનાએ મણિપુરમાં 18 જવાનો શહીદ થયા બાદ શંકાસ્પદ એનએસસીએનના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
મ્યાંમારની ઘટના બાદ કરાયો હતો નિર્દેશ
જો નવા હથિયારો મળ્યા હોત
તો સર્જિકલ સ્ટ્રાઇક સેના માટે વધુ સરળ બન્યું હોત
મ્યાંમારની ઘટના બાદ કરાયો હતો નિર્દેશ અને જો નવા હથિયારો મળ્યા હોત તો સર્જિકલ સ્ટ્રાઇક સેના માટે વધુ સરળ બન્યું હોત.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે કહ્યું કે મ્યાંમાર જેવું ઓપરેશન આગળ પણ કરવું છે. તો સ્પેશલ ફોર્સેજ માટે કેટલાક હથિયારોને તરત ખરીદવાનો વિચાર કર્યો હતો અને જો આ પ્લાન પર કામ કરવામાં આવ્યું હોત તો સર્જિકલ સ્ટ્રાઇક કરનારા 4 એસએફ અને 9 એસએફના જવાનોને વધારે આધુનિક અને લાઇટવેટ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરી શકાયો હોત.