રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિલકત સંબંધી એક મહત્વની જાહેરાત કરી છે. જાહેરાત કરતા જણાવ્યું હતુ કે હાલ રાજ્યમાં હદચોકસીનુ કામ ચાલી રહ્યુ છે. ત્યારે જે વિસ્તારો શહેરોમાં ભળ્યા છે તેઓને પ્રોપર્ટી ડેવલોપ કરવામાં તકલીફ પડી રહી છે.
ત્યારે હવે પ્રોપર્ટી ડેવલોપમેન્ટ કાર્ડ ન હોય તો પણ મિલકત ડેવલોપ કરી શકાશે. તેમજ 7/12 મુજબ આખા ગુજરાતમાં પ્રોપર્ટી ડેવલોપમેન્ટની છૂટ આપવાની જાહેરાત કરી હતી.