રાજકોટમાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દુર જ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ એરિયામાં જ એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકા સાથે સામાન્ય બોલાચાલી બાદ છરીના ઘા મારીને ખૂન કરી નાખ્યું છે.
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે છેલ્લા ઘણા સમયથી દેહવ્યાપાર નો વ્યવસાય ચાલી રહ્યો છે. આજ રોજ સવારના સમયે જામનગરના જયદીપ ગૌસ્વામી નામનો શખ્સ થોરાળા વિસ્તારમાં આવેલા આ રેડલાઇટ એરિયામાં પોતાની પ્રેમીકાને મળવા આવ્યો હતો. પ્રેમીકાએ લગ્ન કરવા માટે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી જેને લઈ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકા પર ઉપરાછાપરી 10 જેટલા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ બારીમાથી નાસી જતા વખતે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. હાલ આરોપી જયદીપ ગૌસ્વામી પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહ્યો છે.