રાજકોટ: મોટા પાયે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે આવા જ એક વિસર્જન સમયે શહેરના જામનગર રોડ પર સ્થિત હનુમાન ધારા ડેમમાં સાત વ્યક્તિઓ ડૂબ્યા હતા. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે બે યુવાનોને ગામના લોકોએ આવીને આબાદ બચાવી લીધા હતા. આ પાંચ મૃતકોમાંથી બે જણા સગા ભાઈઓ હતા. મૃત્યુ પામનારા તમામને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
એક સાથે પાંચ વ્યક્તિઓના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. અને પર્વનો માહોલ શોકમાં બદલાઈ ગયો હતો. શબને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેઓના કુટુંબીજનો ત્યાં દોડી આવતા કરૂણ દશ્યો સર્જાયા હતા. સમગ્ર વાતાવારણ ગમગીને અને શોકમય બની ગયું હતું.