ચાર વર્ષ પહેલા 21 ડિસેમ્બર 2012ના રોજ માયાન કેલેન્ડરની તારીખ વિશે તમે સાંભળ્યું હતું એને લઈને ઘણી અટકળો વહેતી થયેલી કે દુનિયાનો અંત આવશે. ભલે એ દિવસે કંઈ ન થયું પરંતુ દરેકના મનમાં ગભરાટ અને ચિંતા પેસી ગયાં હતાં. હવે એવી ભવિષ્યવાણી 2 ઓક્ટોબર 2016ને લઈને કરવામાં આવી રહી છે. શું એ પણ માત્ર ખોટી ભવિષ્યવાણીમાં પરિણશે?
તમને જાણીને નવાઈ લાગશે કે આ ભવિષ્યવાણીઓ કરનારાઓ અમુક વાર બાઇબલની ગણતરીઓ પ્રમાણે ભવિષ્યવાણી કરી હોવાનો દાવો માંડતા હોય છે. પરંતુ એ જાણવું કેટલું મહત્ત્વનું છે કે શું ખરેખર બાઇબલમાં દુનિયાના અંત વિશે એવી કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો છે? બાઇબલમાં દુનિયાના અંતને લઈને કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. પરંતુ ચોક્કસ બાઇબલમાં દુનિયાના અંત વિશે જણાવ્યું છે. બાઇબલમાં લુક નામના પુસ્તકમાં જણાવ્યું છે કે "તમે જ્યારે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે." (અધ્યાય 21 કલમ 22) બાઇબલમાં અંતના સમયને લઈને કેટલીક નિશાની આપવામાં આવી છે. જે બધી નિશાની પરથી દુનિયાનો અંત કેટલો નજીક છે તે જાણી શકાય છે.
એમાં જણાવવામાં આવ્યું છે કે યુદ્ધ દુકાળો ધરતીકંપો અને જીવલેણ રોગો આખી દુનિયામાં ઠેર ઠેર જોવા મળશે. ગુના અને હિંસા વધી જશે. લોકો સ્વાર્થી પૈસાના પ્રેમી અને ઈશ્વરને બદલે આનંદપ્રમોદમાં રાચ્યા કરશે. કુટુંબોમાં ભંગાણ જોવા મળશે. ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાવવામાં આવશે. પ્રભુ ઈસુએ જણાવ્યું હતું કે આ બધી નિશાનીઓ તમે જુઓ ત્યારે જાણજો કે દુનિયાનો અંત પાસે છે.
આ વિશે "યહોવાના સાક્ષીઓ" (Jehovah's Witness) માને છે કે આ નિશાનીઓ ખાતરી કરાવે છે કે દુનિયાનો અંત પાસે છે. અને તેઓ આ વિશે આખી દુનિયામાં 236 દેશોમાં એ સંદેશો ફેલાવી રહ્યા છે. તેઓએ 700 કરતાં વધુ ભાષામાં લોકોને આ વિશે જણાવવા www.jw.org નામની વેબસાઇટ પણ બનાવી છે. તેઓનું મુખ્ય કામ સર્વ લોકોને યહોવા ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવાનું છે.