લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માએ કહ્યું છે કે તેણે ટ્વીટક કરીને માત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતના ગુસ્સો ઠાલવ્યો હતો. કોમેડિયને પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે BMCના એક અધિકારીએ કામ કરવાના બદલામાં પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. આ ટ્વીટ પર રાજકારણ ગરમાયું હતું. જોકે કપિલે નગરપાલિકાના એ આરોપો વિશે પોતાનો પક્ષ મૂક્યો નહોતો જેના પ્રમાણે પોતાના વરસોવા સ્થિત ઓફિસ અને ઉપનગર ગોરેગાંવ સ્થિત એપાર્ટમેન્ટના માપદંડોનું તેણે ઉલ્લંઘન કર્યું હતું.
કપિલે જણાવ્યું હતું કે 'મેં તો બસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતના ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે આનાથી વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો હતો. મારી જગ્યા મનોરંજન જગતમાં છે નહિ કે હું કોઈ રાજકીય પક્ષનો ભાગ છું અને મારી એવી કોઈ ઇચ્છા પણ નથી.' તણે કહ્યું હતું કે 'હું માનનીય વડાપ્રધાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથેની એજન્સી અને એકમોની ઘણી કદર કરું છું. હું કાયદા પર ભરોસો રાખનારો વ્યક્તિ છું.'