G-20 સંમેલનમાં ભાગ લેવા ચીન પહોચેલા PM મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે મુલાકાત કરી. ત્યારે PM મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહયુ કે આતંકવાદનાં સપ્લાયરોની ઓળખ થવી જરુરી છે. આ સાથે જ તેમણે POK માં ચીન કોરીડોર અને NSGનો મુદ્દો પણ ઉઠાવ્યો.
ઉલ્લેખનીય છે કે મોદી 2 દિવસની વિયેતનામ યાત્રા બાદ ચીન પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાન તેના આતંકી સંગઠનોની યાદી ક્રમબધ્ધ કરી સંયુકત રાષ્ટ્રમાં સોંપવી વગેરે સામેલ છે તો 46 અબજ ડોલરનો ચીન-પાકિસ્તાન આર્થિક પણ મહત્વનો છે.