પીએમ મોદી વિયેતનામના પ્રવાસે છે ત્યારે વિયેતનામના પ્રધાનમંત્રી જુઆન ફુક અને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે બંને દેશો વચ્ચે 12 મુદ્દાઓ પર સમજૂતી બની છે. આ સમજૂતી સંરક્ષણ હેલ્થ અને સ્પેશ સાથે જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી વિયેતનામને બ્રહ્મોસ મિસાઇલ આપવાની બાબતે ચીનની નારાજગી સહન કરવી પડી શકે તેમ છે. તો વિયેતનામના સ્પેસ સેન્ટર અને હાઇડ્રોકાર્બન બ્લોકમાં પણ ભારત રોકાણ કરશે. મહત્વપૂર્ણ છે કે ભારત અને વિયેતનામ વચ્ચે હાલ 7400 કરોડ રૂપિયાનો વેપાર છે અને વર્ષ 2020 સુધીમાં વધીને 10 હજાર કરોડ રૂપિયા સુધી લઇ જવાનું લક્ષ્ય રખાયું છે.