ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચેના સંરક્ષણ કરારને કારણે દક્ષિણ એશિયાનું વ્યૂહાત્મક સંતુલન બગડવું જોઈએ નહીં.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવતા નફીસ ઝકરીયાએ કહ્યુ છે કે આવા કરારોથી દક્ષિણ એશિયા પર તેની કોઇ અસર નહીં થાય. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કાશ્મીરમાં ભાગલાવાદીઓની હિંસાને આઝાદીની લડાઈના નામે સમર્થન આપવાની રેકોર્ડ વગાડવાનું પણ ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે બુધવારે યુનાઈટેડ નેશન્સના મહાસચિવ બાન કી મૂનને તેમના પત્રના જવાબમાં આવેલી ચિઠ્ઠીનો જવાબ મોકલ્યો છે. ઝકારિયાનો દાવો છે કે યુએન મહાસચિવે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની પ્રતિબંદ્ધતાને સ્વીકારી છે.