પાકિસ્તાન આજે આતંકી હુમલાથી ધણધણી ઉઠયું. પેશાવરની ક્રિશ્ચયન કોલોની અને મરદાન કોર્ટમાં આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ બંને હુમલામાં 10થી વધુના મોત થયા છે. જયારે 5 આતંકીઓ ઠાર મરાયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ પેશાવરમાં થયેલા હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આતંકીઓ અફઘાનીસ્તાનના બેઠેલા હેંડલર સાથે સંપર્કમાં હતા. પાકિસ્તાનના સુરક્ષાદળોના જવાનોના હાથમાં ફોન આવ્યા છે. હવે આ બાબતને લઇને પાકિસ્તાન સરકાર અફઘાનીસ્તાન સરકાર સાથે વાતચીત કરશે.
ઉલ્લેખનિય છે કે આ હુમલા બાદ પાકિસ્તાનની સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોએ ઘટના સ્થળ પર પહોંચીને ઘેરાવો કરીને આતંકીઓને ઠાર માર્યા હતા. એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ હુમલામાં 6 આતંકી ઠાર મરાયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે.