રાજકોટમાં ગત રાત્રે નિવૃત પોલીસ કર્મચારીનાં પુત્રની હત્યા કરવામાં આવી છે. 150 ફુટ રીંગ રોડ પર આવેલીં અયોધ્યા રેસિડેન્સી પાસે ઘરમ રોહડીયા નામનાં યુવાન પર અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મૃતક ધરમ રોહડીયાનાં કૌટુંબિક ભાઇઓને ઘટનાની જાણ થતા દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે પોલીસ પુત્ર ઘરમ રોહડીયાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં અજાણ્યા શખ્સોએ 8 જેટલા છરીનાં ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતક ઘરમ રોહડીયાનાં પરિવારજોની ફરીયાદનાં આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોનું માનિએ તો મૃતક ધરમ રોહડીયા પણ મારા મારી પ્રોહિબિશન સહિતનાં ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકયો છે.