આતંકી સંગઠન આઇએસઆઇએસના પ્રવક્તા અને અબુ બકર અલ-બગદાદી પછી સંગઠનના બીજા સૌથી તાકાતવર લીડર અબુ મોહમ્મદ અલ-અદનાની માર્યો ગયો છે. તેની મોત સીરીયામાં થઈ છે. અને આઇએસઆઇએસે એક બયાનમાં તેની જાહેરાત કરી છે. જોકે અમેરિકાની આગેવાની હેઠળની નાટો તરફથી આ બાબતે હજી પુષ્ટી થઈ નથી. મીડિયાને મળેલા અહેવાલ પ્રમાણે પેસિસ સહિત યુરોપીયન યુનિયનના દેશમાં હાલમાં આઇએસઆઇએસે જેટલા પણ હુમલા કરાવ્યા છે તેની પાછળ અલ-અદનાની જ માસ્ટર માઇન્ડ હતો. અહેવાનો પ્રમાણે તેણે જ હુમલો કરવા માટે આદેશ આપ્યા હતા.
ઇસ્લામિક સ્ટેટે મંગળવારે જણાવ્યું હતું કે તેનો પ્રવક્તા અને સિનિયર કમાન્ડર મોહમ્મદ અલ-અદનાની માર્યો ગયો છે. અને તેની મોતનો બદલો લેવામાં આવ્યો છે. સંગઠન પ્રમાણે મોહમ્મદ અલ-અદનાનીની મોત ઉત્તરી સીરિયામાં સૈન્ય અભિયાન વિરુદ્ધ મિશનની દેખરેખ રાખી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. આઇએસઆઇએસની અમાક ન્યુઝ એજન્સીએ જણાવ્યું છે કે અલ-અદનાની એલેપ્પોમાં સૈન્ય અભિયાનો પાછા ધકેલવા ચાલી રહેલા દેખરેખ દરમિયાન શહિદ થઈ ગયો હતો.