બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠયા બાદ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન અને ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન બાદ ચીનની મુશ્કેલીમાં વધારો થયો છે. અને ગુસ્સે ભરાયેલા ચીને ભારતને ચેતવણી આપી છે.
ચીને કહ્યું છે કે ભારતના કોઇ કાવતરાએ બલૂચિસ્તાનમાં 46 અરબ ડોલરની ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર પરિયોજનાને અસર થઇ તો ચીન પર ભારતના મામલાઓમાં દખલગીરી કરશે. સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લા પરથી મોદીએ બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યા બાદ વિશ્વમાં બલૂચિસ્તાનનો મુદ્દો ઉછ્યો છે.
તો ભારત અને અમેરિકા વચ્ચે સુધરતા સંબંધો અને દક્ષિણ ચીન સાગર અંગે ભારતના વલણ ચીન માટે ખતરાની ઘંટડી સમાન છે.