અંકારા: તુર્કીએ પોતાના સરહદી વિસ્તારમાં ખોફનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. આઈએસના હુમલાથી છંછેડાયેલા તુર્કીએ જણાવ્યું છે કે હવે તો આઈએસનો ખાતમો કરવો એ જ અમારું લક્ષ્ય છે. તુર્કીએ ગાજિયાનટેપ શહેરમાં આત્મઘાતી હુમલા બાદ જણાવ્યું છે કે સિરિયન સરહદી વિસ્તારને આઈએસથી સંપૂર્ણપણે મુક્ત કરાવવા હવે જરૂરી છે.
તુર્કીએ આ હુમલા માટે આઈએસના ત્રાસવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા. આ હુમલામાં ૫૪નાં મોત થયાં હતાં. તુર્કીના વિદેશપ્રધાન મૌલુદ કાવુસોગલુએ જણાવ્યું હતું કે અમારી સરહદો આઈએસથી સંપૂર્ણપણે મુક્ત થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા આતંકી સંગઠન વિરુદ્ધ અમારા દેશ અને વિદેશમાં લડવું એ અમારો સૌથી સ્વાભાવિક અધિકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે એક આત્મઘાતી હુમલાખોરે ગાજિયાનટેપ શહેરમાં એક લગ્ન સમારોહમાં આતંકી હુમલો કર્યો હતો. આ હુમલાખોરની ઉંંમર માત્ર ૧૨થી ૧૪ વર્ષની હોવાનું જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈએસ આતંક ફેલાવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચીપ તૈયફ એર્દોગને જણાવ્યું હતું કે આ હુમલો આઈએસના ત્રાસવાદીઓના ઈશારે કરવામાં આવ્યો છે.
નાની લોન લેવા માટે પહેલા ગ્રાહકોની માહિતી પ્રમાણે કેટલીક મર્યાદા નક્કી કરી દેશે. ત્યાર બાદ જરૂરિયાત મુજબ ગ્રાહક એટીએમ પર જશે એટીએમ કાર્ડ સ્વાઇપ કરશે પોતાની રકમ નક્કી કરશે અને પછી ટર્મ એન્ડ કન્ડિશન પર સહમત થશે અને વેરિફિકેશન કરવા માટે પોતાનો મોબાઇલ નંબર નાંખશે અને થોડી સેકન્ડો બાદ લોનની રકમ તેના ખાતામાં જમા થઈ જશે.
દેશમાં લોન આપવામાં સૌથી મોખરે SBI બેન્કે આ સુવિધા આપવા માટે મલ્ટીવેન્ડર સોફ્ટવેરના ટેન્ડર બહાર પાડ્યા છે. એસબીઆઈ 50 000 એટીએમમાં આ સુવિધા આપવાની યોજના બનાવી રહી છે. એસબીઆઈના મુખ્ય માહિતી અધિકારી મૃત્યુજય મહાપાત્રાએ જણઆવ્યું છે કે દિવસમાં એટીએમ પર સરેરાશ 300થી 400 લોકો આવી છે. એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે એટીએમ સ્ક્રીન ગ્રાહકો અને સુવિધા આપવાના હેતુ સાથે સારી લગાડવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે આ સુવિધા બેન્ક તેઓને જ આપશે જેઓનું ખાતુ એ બેન્કમાં હશે. આ માટે ગ્રાહકે પહેલા પોતાની માહિતી બેન્કની લોન ઉપાડ મર્યાદા નક્કી કરવી પડશે.