ભારતમાંથી સઉદી અરબ ગયેલા 2000થી વધારે લોકોને ત્યાંની પોલીસે વિઝા અને પાસપોર્ટ હોવા છતાં એક મહીનાથી વધુ સમયથી જિદ્દાની જેલમાં બંધ કરી રાખ્યા છે. કેટલાક લોકોએ સઉદી અરબમાં ભારતીય દૂતાવાસમાં અપીલ કરી છે. પણ હજુ સુધી તેમને સાંભળવામાં આવી નથી.
આ લોકોએ વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રીને વીડિયો મોકલીને અપીલ કરી છે. અને કહ્યું છે કે.. તેમને જૂની કંપનીમાં ઘણા સમયથી સેલેરી ન મળતા અન્ય કંપનીઓ કામ કરવાનું શરૂ કર્યું હતું. પણ એક દિવસ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. અને જેલમાં નાખી દીધા.
પોલીસના મતે આ તમામ ભારતીયો પોતાની જૂની કંપનીમાંથી પાસપોર્ટ પાછા લીધા વગર અન્ય કંપનીમાં કામ કરી શકે નહી. અને જો એવુ કરવામાં આવે તો તેમની ધરપકડ કરવામાં આવે અને તેમને ફાઇન ભરવું પડે છે. ત્યારે જેલમાં બંધ આ ભારતીયોએ વડાપ્રધાન અને વિદેશમંત્રી તેમને મદદ કરે તેવી અપીલ કરી છે.