રાજ્યમાં ઠેર-ઠેર પીવાના પાણીને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યાં છે તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટેની સમસ્યા દિવસેને દિવસે વધી રહી હતી. ત્યારે સીએમ વિજય રુપાણી દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શું છે આ મહત્વની જાહેરાત?
સૈરાષ્ટ્ર માટેની સૌની યોજના 2012માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેદ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. જે યોજનાનું લોકાર્પણ નરેદ્ર મોદી દ્વારા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના આજી ડેમ-3 ખાતે 30 ઓગષ્ટે મુખ્ય સમારોહ યોજાશે. આ યોજનાનો પ્રારંભ થતા જ સૌરાષ્ટ્રના નાનામોટા થઈને 115 ડેમો છલકાશે. અને તેના દ્વારા સૌરાષ્ટ્ર વાસીઓની પીવાના પાણી અને સિંચાઇની સમસ્યા દૂર થશે.