હાર્દિક પટેલે સાળંગપુર હનુમાનદાદાના દર્શન કર્યાં. જો કે સાળંગપુર મંદિરના દરવાજા સાડા બાર કલાકે બંધ કરવામાં આવ્યા હતાં પરંતુ હાર્દિકના સ્પેશિયલ કેસમાં આ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતાં અને હાર્દિકે હનુમાન દાદાના દર્શન કર્યાં હતાં.
હાર્દિક પટેલ સાળંગપુર મંદિરમાં નિવેદન આપતા કહ્યું હતું કે હું રાજકારણમાં નહી આવુ અને અમારુ આંદોલન વધુ મજબુતાઇથી આગળ વધારીશું.