અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક યુવાનની મોડી રાત્રે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચવા પામી છે. હત્યાનો ભોગ બનેલો રઘુવીર જાંઘડ મુળ મેધાણીનગરનો રહેવાશી છે ને નરોડાના ધર્મનાથ પ્રભુ સોસાયટીમાં રહેતી પોતાની બહેનનાં ઘરે મળવા માટે આવ્યો હતો. જેક લાંબો સમય વિત્યા સુધી રઘુવીરનો કોઈ સંપર્કના થતા તેના મિત્રો નરોડા દોડી આવ્યા હતા. જ્યા મૃત હાલતમાં તેની લાશ પડી મળી આવતા તેમણે નરોડા પોલીસ મથકમાં સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી.
મહત્વનું છે કે રઘુવીર ફાયનાન્સનો ધંધો કરે છે. તેથી આ હત્યા થઈ હોવાનું પ્રાથમીક ધોરણે બહાર આવ્યું છે. આ યુવકને હત્યારારે 50 થી વધુ છરીના ધા મારતા તેનુ ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. હાલ સમગ્ર બનાવની જાણ નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા સ્થાનીક પોલીસે CCTV ફુટેજ મેળવી લીધા છે. હવે સીસીટીવી ફૂટેડના આધારે તજવીજી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.