મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. ભોપાલમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિને લીધે ઠેકઠેકાણે પાણીનો ભરાવો થઈ જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વિદિશા અને હરદામાં ભારે વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે..તો જળબંબાકારની સ્થિતિમા હજારો ગામો સંપર્ક વિહોણા થઈ ગયાં છે. જ્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને અનેક ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.તો કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશમાં જળબંબાકાર
ભારે વરસાદને પગલે 11ના મોત
કરોડો રૂપિયાનું નુકસાન
મધ્ય પ્રદેશમાં જોરદાર વરસાદના લીધે પૂરનો કહેર યથાવત છે. અહીં અત્યાર સુધી વરસાદના લીધે અલગ અલગ ઘટનાઓમાં 11નાં મોત થઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં 9 જુલાઇ સુધી એવરેજ વરસાદનો 25% કોટા પૂર્ણ થઇ ગયો છે. 23 જિલ્લાઓમાં સામાન્યથી વધારે વરસાદ રેકર્ડ કરવામાં આવ્યો છે. આવનારા 24 કલાકમાં ઇન્દૌર ભોપાલ સાગર સતના વિદિશા રાયસેન સહિતના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારના પ્રેસ કોન્ફરન્સમાં ડિઝાસ્ટરથી નિવેડો લાવવા માટે જરુરી પગલા લેવાની વાત કહી. સમગ્ર પ્રદેશમાં ઇમરજન્સી નંબર 1079 જાહેર કરવામાં આવ્યો છે.
ચોતરફ તબાહી
દર બે કલાકે વધી રહ્યું છે નર્મદાનું જળસ્તર
રસ્તા ધોવાઇ ગયા બંધ તૂટયાં
અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ
મધ્ય પ્રદેશના સતના રીવા ભોપાલ રાયસેન પંચમઢી હોશંગાબાદ ઇટારસીમાં મુશળાધાર વરસાદ ચાલુ છે ઘણા ગામડાઓ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. લોકોને ખાવાની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભોપાલમાં ઘણા વિસ્તારો ટાપુમાં ફેરવાઇ ગયા છે. અમુક રસ્તાઓ સમગ્રપણે બંધ થઇ ગયા છે. તો નદી કિનારાના ગામડાઓને એલર્ટ રહેવા જણાવાયું છે. અહી હવામાન ખતાએ આગામી 24 કલાકમાં ભોપાલ વિદિશા રાયસેન સાગર દમોહ સતના હોશંગાબાદ બૈતૂલ જબલપુર શિવની ઉજ્જૈન ઇંદૌર અને નરસિંહપુરમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.
હાલતો મધ્યપ્રદેશમાં વર્ષી રહેલા ભારે વરસાદને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. જોકે હવે જોવું એ રહ્યું કે ત્યાનું પ્રશાસન નાગરીકો માટે કેટલું વહારે આવે છે.