બેઇજિંગ : ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતનું સભ્યપદ અટકાવ્યા બાદ ચીન હવે ગ્લાની અનુભવી રહ્યું છે. ચીને એકવાર ફરીથી કહ્યું કે ભારત આ મુદ્દે ખોટી વ્યાખ્યા કરીને ચીનને બદનામ કરી રહ્યું છે. ચીનનાં સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે સંપાદકીય લખ્યું છે. ઇન્ડિયાની બાબતોને ખોટી વ્યાખ્યા અને ચીનને બદનામ કરવા માટે ઇન્ટરનેશનલ સમર્થન પ્રાપ્ત કરવા માટે વધારે પ્રયાસો કરી રહ્યા છે.
સંપાદકીયમાં ગ્લોબલ ટાઇમ્સે ભારતીય નાગરિક અને ઇન્ડિયન મીડિયા બંન્ને પર નિશાન સાધ્યું છે. તેની પહેલા ગત્ત અઠવાડીયે પણ ગ્લોબલ ટાઇમ્સે આ બંન્ને પર તીખી આંગળી ઉઠાવી હતી. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે ચીન સાઉથ કોરિયાની રાજધાની સોલમાં એનએસજીની સમગ્ર બેઠકમાં ભારતનો વિરોધ શા માટે કરી રહ્યું હતું. તેણે તે પણ જણાવ્યું હતું કે માત્ર ચીન જ નહી પરંતુ 10 અન્ય દેશો પણ ભારતનાં સભ્યપદનો વિરોધ કરી રહ્યા હતા.
ગ્લોબલ ટાઇમ્સનાં અનુસાર સોલમાં એનએસજીની સમગ્ર બેઠકમાં ભારતનાં સભ્યપદનાં મુદ્દે જે પરિણામો આવ્યા તેને ભારતીય નાગરિકો સ્વીકારવા નથી માંગતા. મોટા ભાગનાં ઇન્ડિયન મીડિયામાં ચીનને બ્લેમ કરવામાં આવ્યા હતા. તેને ભારતનો વિરોધ કર્યો. ચીનને એન્ટી ઇન્ડિયન જણાવવામાં આવ્યું અને પાકિસ્તાન સમર્થક છે. ગ્લોબલ ટાઇમ્સે ઉમેર્યું કે પરમાણું અપ્રસાર સંધી પર જ્યાં સુધી હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી ભારતને સભ્યપદ ન મળી શકે તેટલો જ વિરોધ ચીનનો છે.