ચીન દ્ધારા NSGમાં ભારતના પ્રવેશને રોકવાને લઈને નવી દિલ્હીની કડક આલોચના વચ્ચે એક ચીની સરકારી અખબારે આજે કહ્યું છે કે ભારત હજી પણ 1962ના યુદ્ધની માનસિકતામાંથી બહાર આવ્યું નથી. અને તેને બીઝિગના વલણને મૂલ્યાંકન કરવાની અપીલ કરી છે. ગ્લોબલ ટાઈમ્સના એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે NSGમાં ભારત પ્રવેશથી વંચિત રહ્યા પછી NSGમાં સંપૂર્ણ બેઠકના પરિણામોને સ્વીકારવા મુશ્કેલ થઈ રહ્યા છે.
આ લેખ ચીન ભારતના સહયોગ માટે જૂના વલણને ત્યાગવું જોઈએ તેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ભારતીય મીડિયા માત્ર ચીન ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. અને આરોપ લગાવી રહ્યા છે કે આ વિરોધ પાછળ ચીનના ભારત વિરોધી પાકિસ્તાનનો હાથ છે. અમુક લોકો ચીન અને ચીની વસ્તુઓ સામે વિરોધ કરવાના મૂડમાં રસ્તા ઉપર ઉતર્યા છે અને સમીક્ષકો કહી રહ્યા છે કે આ ઘટનાથી ભારત અને ચીનના સંબંધ ઠંડા પડી જશે.