ઈસ્તાંબુલના અતાતુર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂધ ફાયરિંગ અને બોમ્બ હુમલામાં 38 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 147થી વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આત્મઘાતી બોમ્બરે એરપોર્ટ કરેલા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર બે આત્મઘાતી હુમલાખોરોએ પોતાને બોમ્બ વડે ઉડાવતા પહેલા ઈસ્તાંબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટનાં મુખ્ય ગેટ પાસે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોરો સિકયુરીટી ચેકપોઈન્ટ પાસે પહોંચ્યાં તે પહેલા તેમને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું.
જો કે તેમણે પોતાની જાતને બોમ્બ વડે ઉડાવી દીધી હતી.. ઘટના સ્થળે તુર્કીનાં સુરક્ષાકર્મીઓએ તપાસ શરૂ કરી છે જ્યારે બચાવકર્મીઓ દ્વારા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.