ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સેનાએ ભારતને પોતાનાં માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. સેનાનાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભારતે જ પાકિસ્તાનને તે બાબત પર મજબુર કર્યું છે કે તે પોતાની સંરક્ષણ પ્રણાલી ભારતને ધ્યાનમાં રાખીને બનાવે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા અસીમ બાજવાએ ગુરૂવારે કહ્યું કે ભારત સાથે વાતચીતનાં પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો કે કાશ્મીર જુનો મામલો છે. બંન્ને દેશાંવચ્ચે ધર્ષણનું પણ કારણ છે.
એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે દેશની સંરક્ષણ પ્રણાલી ભારત આધારિત છે. જિઓટીવીએ બાજવાનાં હવલાથી કહ્યું કે બાજવાનાં અનુસાર ભારત તે પાકિસ્તાની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય પર પણ આરોપ લગાવ્યો કે તેઓ પાકિસ્તાનને પુરતો સહયોગ નથી આપી રહ્યા. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સનાં ડાયરેક્ટર બાજવાએ કહ્યું કે હું કહીશ કે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ અમારી સાથે પુરતા સહયોગથી કામ નથી કરી રહ્યા.
બાજવાએ હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા અમેરિકન ડ્રોન હૂમલાની પણ આલોચનાં કરી હતી. જેમાં તાલિબાન પ્રમુખ મુલ્લા અખ્તર મંસુર મર્યો હતો. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપુર્ણ હતું કારણ કે અમેરિકાનો સહયોગી દેશ હોવા છતા પણ પાકિસ્તાનને માહિતી અપાઇ નહોત. ઉપરાંત મંસુર અફઘાનિસ્તાનમાં શાંતિપ્રક્રિયાનો એક હિસ્સો હતો. મંસુરે બીજા રાષ્ટ્રથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો પછી તેને શોધવામાં આવ્યો અને હૂમલો કરવામાં આવ્યો. તે મેલ મિલાપ પ્રક્રિયાનો હિસ્સો હતો અને તેને શાંતિપ્રક્રિયામાં પોતાની ભુમિકા નિભાવી હતી.