કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતની ઘર વાપસી થઇ છે. ગુરુવારે સવારે સત્તાવાર મેઇલ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કામતે કોંગ્રેસના તમામ હોદ્દા પર પાછા ફર્યા છે. તેઓ ગુજરાત અને રાજસ્થાન તથા દાદરાનગર હવેલીના પ્રભારી તરીકે ચાલું રહેશે. તેવો પણ મેઇલ કર્યો હતો.
કોંગ્રેસના તમામ હોદ્દા પર પરત ફરેલા કામત ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમ સામે વાકું પડતાં કામતે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. બે અઠવાડિયાની સોનિયા ગાંધી રાહુલની સમજાવટ બાદ તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.