ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રાજન બાદ હવે સરકારના સૌથી મોટા સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સામે મોરચો માંડયો છે. સ્વામીએ અરશવદને સરકાર વિરોધી બતાવી પદથી દૂર કરવાની માગ સાથે રાજકીય દાવપેચ ઉભા કરતા સરકાર ચિંતિત બની છે.
સ્વામીનો નવો નિશાને
પહેલા રિ{ર્વ બેન્કના ગવર્નર પર વાર
હવે સરકારના સૌથી મોટા સલાહકાર પર પ્રહાર
સુબ્રમણ્યમ સ્વામીએ છેડી જંગ
રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન બાદ હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશના મુખ્ય સલાહકાર અરશવદ સુબ્રમણ્યમને હટાવવાની માગ કરી છે. અરવિંદનું નામ નવા રિઝર્વ બેન્ક ગવર્નરની ચર્ચામાં છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટર પર અરવિંદ સુબ્રણ્યમ સ્વામીએ જંગ છેડયો છે.
મહત્વની વાત એ છે કે અરવિંદને મોદી સરકારે હાલમાં જ દેશનો મુખ્ય સલાહકાર નિમ્યો છે. સ્વામી હવે અરવિંદ સુબ્રમણ્યમનના એ નિવેદનને આધાર બનાવીને મેદાનમાં ઉતર્યા છે જે અરવિંદે વર્ષ 2013માં મોદીની સામે આપ્યો હતો. સ્વામીનું કહેવું છે કે અરવિંદ સુબ્રમણ્યમે હાલમાં જ દેશની પેટેંટ નીતિનો વિરોધ કર્યો હતો.
સ્વામીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2013માં કેદ્રમાં મોદી સરકાર આવી તે પહેલા અરશવદે સ્થાનિય દવા ઉદ્યોગના હિતમાં અમેરિકી કોંગ્રેસ પાસે ભારત સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ ઉપરાંત સ્વામીએ અરવિંદ પર GST બિલ સામે અવરોધ ઉભો કરવાનો પણ આરોપ મુકયો છે. આ તમામ આરોપો મુકતા સ્વામીએ કહી દીધું છે કે જો સરકાર એવું માને છે કે અરવિંદ કામનો માણસ છે તો તેની હકીકતો સામે આવવાનો હું ઈન્તેજાર કરીશ. સ્વામીના વિરોધ બાદ રાજને તો બીજા ટર્મનો અસ્વિકાર કર્યો છે પરંતુ પોતાના સલાહકાર સામે જ પોતાના જ સાંસદના પ્રહારની સરકાર પર શું અસર વર્તાશે તે જોવું રહ્યું.