પાંચ દેશોના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કતાર બાદ હવે સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લેશે. પીએમની મોદીન સ્વિત્ઝરલેન્ડ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
જેનેવામાં પીએમ મોદી સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ જોહાન સ્નિડર અમ્માનન સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થશે. જેમાં બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધોને આગળ વધારવા અંગે પણ ચર્ચા થશે.
આ ઉપરાંત વડાપધાન સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સમક્ષ કાળા નાણાંનો મુદ્દો પણ ઉઠાવે તેવી પૂરી શકયતા છે.
સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં પડેલા ભારતીયોના કાળા નાણાં વિશે જાણકારી મેળવવા માટે સ્વિત્ઝરલેન્ડ સરકારને સહયોગ કરવા માટે અનુરોધ કરી શકે છે. ભારત ઈચ્છે છે કે કાળા નાણાં વિશેની જાણકારીનું બન્ને દેશો વચ્ચે આદાન-પ્રદાન થઈ શકે.