આમ આદમી પાર્ટી સરકારના 21 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવી શકાય છે. આ 21 ધારાસભ્યોને વિતેલા વર્ષમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંસદીય સચિવ તરીકે નિયુકત કર્યા હતા.
હવે આ ધારાસભ્યોને પદનો ઉપયોગ કરવાના મામલામાં અયોગ્ય કરાર કરી શકાય છે. આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે 2015માં જૂનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અરજી કરવામાં આવી હતી.
જેના પછી ચૂંટણી આયોગે ધારાસભ્યોને 11 એપ્રિલ સુધી અરજી પર જવાબ આપવાનો સમય આપ્યો હતો. જો કે આ તમામ ધારાસભ્યોએ જવાબ આપવા 6થી 8 અઠવાડિયાનો સમય માંગ્યો છે.