અમદાવાદમાં શ્વાન અને વાનરોના કરડવાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં 9 મહિનામાં જ શહેરના 36 હજાર 919 લોકોને કુતરા કરડયા હોવાના આંકડા સામે આવ્યા છે. ત્યારે આંકડા પર નજર કરીએ તો. વર્ષ 2011માં 38 હજાર 622 કેસ નોંધાયા છે. તો વર્ષ 2012માં 41 હજાર 141 2013માં 41 હજાર 345 2014માં 47 હજાર 354 કેસ નોંધાયા છે. તો વર્ષ 2015માં 51 હજાર કેસ નોંધાયા છે. આમ હડકવાથી શહેરમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે ત્યારે એએમસીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. એકતરફ સતત ગરમીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ અસહ્ય ગરમીમાં શ્વાન અને વાનરો ભુખ અને તરસથી માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. જેથી માનવીઓ પર થતા હુમલામાં વધારો થતો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારે એએમસી દ્વારા આ બાબતની ગંભીર નોંધ કયારે લેવાશે તે એક સવાલ છે.
ડોગ કેસ
વર્ષ 2011 38622
વર્ષ 2012 41141
વર્ષ 2013 41345
વર્ષ 2014 47354
વર્ષ 2015 51000
અમદાવાદ શહેરમાં એકતરફ શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આંકડાઓ પર નજર કરીએ તો હડકવાથી શહેરમાં કુલ 17 તેમજ બહારગામના 14 લોકોના મોત નિપજ્યા છે. જેમાં વર્ષ 2006થી લઈ 2015 સુધી હડકવાથી શહેરમાં તેમજ બહારગામમાં કુલ 31 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે એએમસીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
તો બીજીબાજુ રખડતાં કૂતરાની સમસ્યા દિવસે દિવસે એએમસીના સત્તાધીશો માટે માથાનો દુખાવો થઇ રહ્યો છે એક તરફ મ્યુનિસિપલની ખસીકરણ યોજના નિષ્ફળ નીવડી છે તો બીજી તરફ પ્રજાના કરોડો રૂપિયા વેડફાઇ રહ્યા છે તેમ છતા મનપા દ્વારા તેજ મળતિયા કોન્ટ્રાટરોને જ કોન્ટ્રાકટ આપવામાં આવે છે.
રસ્તાઓ પર રખડતા શ્વાનનો ત્રાસ..
ખર્ચાયા કરોડો રુપિયા..
પરિસ્થિતી જેમની તેમ..
રખડતા કુતરાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કુતરાઓ કરડવાને કારણે 10 વર્ષમા 17 અમદાવાદના તેમજ 14 બહારગામના વ્યિતઓ એમ કુલ 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદમા કુતરાઓની વધતી સંખ્યાને અટકાવવા માટે ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામા આવે છે.
ઉલ્લેખનીય છે કે એક કુતરા ના ખસીકરણ માટે 636 રૂપિયા થાય છે તેમ સાડા 6 કરોડ ના ખર્ચ સાથે 1.22.006 કુતરાના ખસીકરણ કરવામાં આવેલ છે તેમ છતાં પણ ગત વર્ષે 51000 કુતરા કરડવાની ફરિયાદ મળી છે ત્યારે આ વાત ને વિપક્ષે ગંભીરતાથી લીધી છે..
વર્ષ પ્રમાણે ખસિકરણ કરાયેલ કુતરા ની સંખ્યા પર નજર કરીએ તો..
વર્ષ ખસિકરણ
2011-12 22500
2012-13 25000
2013-14 26000
2014-15 22000
આટલા બધા કુતારા ના ખસીકરણ કરવામાં આવે છે તેમ છતાં સમસ્યા તેની તેજ રહે છે જેના કારણે નાગરીકો પરેશાન થઇ ગયા છે પરંતુ સત્તાધીશો વખાણ કરવામાંથી ઊંચા આવતા નથી
શહેરમા 5 વર્ષમા 15 789 જેટલા બાળકોને 5 વર્ષમાં કુતરા કરડ્યા છે. તો 12294 જેટલિ મહિલાઓને કુતરા કરડ્યા છે. વર્ષ 2014મા 47354 શહેરી જનોને કુતરા કરડવાના બનાવો બન્યાછે ત્યારે એક તરફ કરોડોના ખર્ચા કર્યા પછી પણ અનેક લોકો કુતરાઓનો ભોગ બને છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.