પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા ફરી એક વખત 10 ભારતીય બોટો સાથે 55 માછીમારોનુ અપહરણ કરવામાં આવ્યુ છે. ભારતીય જળસીમા નજીક ફિશીંગ કરી રહેલી 10 ભારતીય બોટો સાથે 55 માછીમારોનુ પાકિસ્તાન મરીને અપહરણ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.
અપહણરણ કરાયેલી તમામ બોટો ઓખાની હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ઉલેખ્ખનીય છે કે ગત 25 ફેબ્રુઆરીના રોજ પણ 4 બોટ સાથે 20 માછીમારોનુ પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ.
એક તરફ પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાની જેલમાં બંધક માછીમારોને મુકત કરી રહી છે જ્યારે બીજી તરફ આ રીતે બોટોના અપહરણ કરવામાં આવી રહ્યા હોવાથી માછીમારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે તેવુ પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મનીષ લોઢારીએ જણાવ્યુ હતુ.