રાજકોટના શાસ્ત્રીનગરમાં રહેતા કુંભાર પરિવારમાં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. બે સગી બહેનો અને રાજકોટમાં દેરાણી જેઠાણી એવી બે મહિલાઓએ પોતાના બાળકોની હત્યા કરી હતી. ત્યારે બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત કરવા પાછળનું કારણ ઘરકંકાસનું જાણવા મળ્યુ હતુ.
પિયર પક્ષએ સાસરિયા પક્ષ પર તેમની દિકરીઓની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બંન્ને પક્ષ સામસામે આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ. પરંતુ તે સમયે પોલીસ હાજર હોવાથી બંન્ને પક્ષોને શાંત પાડયાં હતા.
હાલ તો બે બહેનો અને બે બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને બન્ને પક્ષોની પુછપરછ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.