ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મથુરા ખાતે ભાજપના યુવા મોરચાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે મોદીના વિદેશ પ્રવાસ પર થતી નિંદાઓનો જવાબ આપ્યો હતો.
તો સાથે જ જેએનયુ મુદ્દે કોંગ્રેસ અને ભૂતપૂર્વ યુપીએ સરકારને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા હતા અને શાહે કહ્યું હતું કે યૂપીએ સરકારે દેશની તિજોરીમાં ખાડો કરી દીધો છે.
જેએનયુમાં થયેલ દેશવિરોધી સૂત્રોચ્ચાર મામલે શાહે કહ્યું કે અભિવ્યકિતના નામે દેશના યુવાનોને દેશદ્રોહની હવા અપાઇ રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશદ્રોહીઓને સાંભળે છે કોંગ્રેસને શરમ આવવી જોઇએ.