ઇશરત જહાં કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ એફએસએલના ડેપ્યુટી ડાયરેકર સતીશ ખંડેલવાલે જણાવ્યું છે કે 3 માર્ચ 2011ના રોજ સતીશ વર્માએ એસઆઇટીની ટીમ સાથે દરોડા પાડયા હતા. અને ઇશરતજહાં અંગે કરેલી તપાસના ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો લેવા માટે આવ્યા હતા. સરકારી મંજૂરી વગર ઓફિસ ટાઇમ પછી તેમણે દરોડા પાડયા હતા. સતીશ વર્માને કાર્યવાહી કરતા રોકતા બે ઓફિસરોને તેમણે કેસમાં ખોટી રીતે ફિટ કરવાની ધમકી આપી હતી.