પાટીદાર અનામત આંદોલન બાદ રાજદ્રોહ જેવા ગંભીર ગુનાઓ હેઠળ હાર્દિક પટેલ અને તેના સાથીઓ ઘણા સમયથી જેલમાં છે ત્યારે હાર્દિક પટેલ અને તેના સાથીઓને જેલમુકત કરાવવા માટે અમદાવાદના ન્યૂ રાણીપની રહેવાસી નિમિષા પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. 12 દિવસના ઉપવાસ બાદ તેની હાલત લથડતા નિમિષાને પારણા કરાવવામાં આવ્યા છે તો હાર્દિક પટેલ તથા તેની સાથીઓએ છોડાવવા માટે અનશન પર ઉતરેલી રેશ્મા પટેલે પણ પારણા કરી લીધા છે. સિદરના ખોડલધામના ટ્રસ્ટીએ રેશ્મા પટેલને પારણા કરાવ્યા છે તો રેશ્મા પટેલના 21 દિવસના અનશન બાદ પાટીદારોએ રેશ્માની પ્રશંસા કરી છે અને તેને બ્રિગેડિયર તરીકેનું ઉપનામ આપ્યું છે.