સામાન્ય વર્ગ અને મધ્યમવર્ગના લોકોમાટે મુસાફરીનું ઉત્તમ સાધન એટલે રેલવે.. રેલ્વેના મુસાફરો ની ફરિયાદ હોય છે કે રેલ્વેમાં અપાતા ભોજનની ગુણવત્તાને લઇને અનેક ફરિયાદો હોયછે.. જેની ગંભીરતાથી નોધ લિધા બાદ હવેરેલ્વેની આઈઆરસીટીસી વીંગ દ્વારા હવેસ્વચ્છ અને સ્વાસ્થ વર્ધક ભોજનની વેરાયટીને અગ્રિમતા આપવામાં આવશે.
ટ્રેન માં મુસાફરી કરતા પેસેન્જરોને ઈ-કેટરિંગ સુવિધાના ભાગ રૂપે ટેસ્ટી અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીસમ કોર્પોરેશન લીમીટેડ આઈઆરસીટીસી નું પ્રથમ બેસ કિચેન અમદવાદ રેલ્વે સ્ટેસન પર શરુ કરાયું છે જ્યાં ઓનલાઈન ઓર્ડર કરનાર પેસેન્જર ની સાથે રાજધાની એક્ષ્પ્રેસ્સ ના તમામ પેસેન્જરો માટે જરૂરી વેજ અને નોન વેજ ભોજન અને નાસ્તો તૈયાર કરાશે.... જેમાં ટ્રેન ના કેટરિંગ થી ત્રાસી ગયેલા મુસાફરો રૂપિયા ૩૦ થી લઈને ૧૫૦ રૂપિયા સુધી માં શુદ્ધ અને સાત્વિક ભોજન માણી શકશે....
મહત્વ ની વાત એ છે કે મુસાફરી દરમ્યાન કોઈ પણ પેસેન્જર આઈઆરસીટીસી ની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરવાની સાથે ફૂડ ઓન ટ્રેક મોબાઈલ એપ પર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૩૪૧૩૯ પર ફોન કરી તેમજ ૧૩૯ પર એસેમેસ કરી નાસ્તો તેમજ ભોજન નો ઓર્ડર બુક કરાવી શકે છે... ત્યારેપેક કરાયેલાફૂદ પેકેટ માં ગુણવત્તા વાળા પ્લાસ્ટિક નોપણ ઉપયોગ કરવામાં આવશે.. . જોકે મહત્વની વાત એ છે કે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે પણ તેઓ જમવાનું બચાવી શકશે. જો કે મુસાફરોએ જમવાનું બુક કરાવવા માટે બે કલાક પહેલાં બુક કરાવવાનું રહેશે.
જોકે હાલ તો આ બધી સુવિધાઓ દેશના મોટા રેલવેસ્ટેશનો પર શરુ કરવામાં આવી છે પરંતુ આ સુવીધાઓનો લાભ મુસાફરો કેટલો લે છે અને મુસાફરો સુધી ક્યારે અને કેવી રીતે પહોચે છે તે જોવું રેહશે...