સંસદ આદર્શ ગામ યોજના હેઠળ રાજ્યસભાના સાંસદ અને કેદ્રીય માનવ સંસાધનમંત્રી સ્મૃતિ ઈરાનીએ આણંદ જિલ્લાનું મઘરોલ ગામ દત્તક લીધું છે..પછાત અને અનેક સુવિધાઓથી વંચીત મઘરોલ ગામમાં પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવાની સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી..
આ છે સોજીત્રા તાલુકાનું મઘરોલ ગામ...જે ગામના નામ પાછળ હવે લાગી ગયું છે કેદ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ..કેમ કે મઘરોલ ગામને સ્મતિ ઈરાનીએ દત્તક લીધું છે..મઘરોલ ગામને દત્તક લીધા બાદ સ્મૃતિ ઈરાનીએ ગામની મુલાકાત લીધી..અને ગામના લોકોને પડતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી. જો કે ગામમાં સારી કોઈ સુવિધા ન હોવાને લઈને સ્મૃતિ ઈરાનીએ ગામને વિકસીત બનાવવા માટેની જાહેરાત કરી.. ગામમાં દોઢ લાખ લિટરના પાણીનું ટાંકો બનાવવાની જાહેરાત કરી..આ ઉપરાંત ગામમાં પ્રાથમિક આરોગ્ય કેદ્ર.તેમજ પશુ આરોગ્ય કેદ્ર બનાવવાની જાહેરાત કરી...
મઘરોજ ગામમાં 6 હજારથી વધુ લોકો રહે છે..પરંતુ ગામના અનેક ઘરોમાં શૌચાલય ન હોવાને લઈને લોકો ચિંતિત છે...પરંતુ હવે ગામમાં આ સુવિધાઓ પૂર્ણ થવાની છે..
તો સ્મૃતિ ઈરાનીએ કરેલી જાહેરાતને પગલે તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી..અને મઘરોલને પાણીની પડતી સુવિધા મામલે સિંચાઈ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો..તેમજ લોકોને પાણી મળી રહે તે માટે કેનાલ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..
સંસદ આદર્શ ગામ યોજના હેઠળ કેદ્રીય માનવ સંસાધનમંત્રી સ્મૃતિ ઈરાનીએ મઘરોલ ગામને દત્તક લઈને ગામનો વિકાસ કરવાની જાહેરાત કરી છે...અને 4-થી 5 મહિનામાં ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેવી પંચો સમક્ષ જાહેરાત કરી હતી..ત્યારે જોવું એ રહ્યું કે સ્મૃતિ ઈરાનીએ લીધેલા મઘરોલ ગામનો વિકાસ કેટલો {ડપી બને છે.