રાજકોટ શહેર ભાજપનો જુથવાદ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. ભાજપના કોર્પેરેટર અને ભુતકાળમાં અનેક હોદ્દાઓ ભોગવી ચુકેલા હીસ્ટ્રીશીટર અનિલ રાઠોડ દ્વારા 15મી ઓગષ્ટે મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર હુમલો કરવા મામલો પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા જ અનિલ રાઠોડ અને તેના 3 સાગરિતોને જેલહવાલે કરાયા છે. બી ડીવીઝન પોલીસની તપાસમાં અનિલ રાઠોડ અને તેના સાગરિતોએ રાજકીય અદાવતના કારણે હુમલો કર્યાનું બહાર આવ્યુ છે. પોલીસે અનિલ રાઠોડ અને તેના 3 સાગરિતો તેજા ગોલતર સંજય કલાતરા અને અજુન ગજીયાને જેલ હવાલે કર્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ આ તમામ આરોપીઓ જેલવાસ કરી ભોગવી ચૂક્યા છે. જો કે આટલી મોટી ઘટના છતાં શિસ્તની વાતો કરતા ભાજપના અગ્રણીઓ દ્વારા કે પ્રદેશ ભાજપ દ્વારા અનિલ રાઠોડ વિરૂદ્ધ કોઇ પણ પગલાં ભરાયા નથી.