બોલીવુડની સ્ટાર અભિનેત્રી વિદ્યા બાલન આજે વડોદરાની મુલાકાતે આવી છે. પોતાની નવી ફિલ્મના પ્રમોશન માટે વિદ્યાબાલન વડોદરા આવી છે. જો કે વિદ્યાબાલન વડોદરા આવે તે પહેલા જ ગુજરાતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યા બાલન શહેરના રાજમહેલ રોડ પર કિરણ મહિડાની ચાનની લારી પર જવાની છે. વિદ્યા મોદીનો વેશ ધારણ કરીને શહેરમાં ફરવાની છે. જેનો ચોમેરથી વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની અને વડાપ્રધાનની ગરિમાને લાંછન લગાવવાનું આ કાવતરૂ છે. શહેરીજનો તથા ભાજપના નેતાઓ આજે રાજમહેલ પર વિદ્યાબાલનનો ભારે વિરોધ કરશે.