અચ્છે દિનનો વાયદો કરી નરેન્દ્ર મોદી તો પહોંચ્યા દિલ્હી દરબાર અને 30 દિવસનો પુરો થયો તેમનો કાર્યકાળ. પરંતુ 30 દિવસના કામકાજમાં અચ્છે દિનની અસર ન દેખાતાં કરાયો છે કેસ.. ત્યારે રાંધણગેસમાં મોદી સરકારે રાહત આપી છે. રાહત પણ માત્ર ત્રણ મહિના પુરતી. 90 દિવસ બાદ આપના રસોડામાં બનતી રસોઈ સ્વાદિષ્ટ બનશે કે પછી તેનો સ્વાદ બગડશે. તેનો ખ્યાલ તો ત્યારે જ આવશે.
મોંઘવારીના ડંખથી પરેશાન જનતા જનાર્દનને 90 દિવસ પુરતી મળી છે રાહત. રાહત છે રાંધણગેસના ભાવમાં વધારો નહી કરાય તેની. પરંતુ રાંધણગેસના ભાવથી પ્રજા પહેલેથી જ છે પરેશાન. એવામાં શું મોદી સરકાર ત્રણ મહિના બાદ રાંધણગેસના સિલિન્ડરમાં વધારો કરશે. જેને પ્રસ્તાવરૂપે પેટ્રોલિયમ મંત્રાલય કહી ચૂક્યું છે. પ્રસ્તાવ હતો ડીઝલ મોડલની જેમ ગેસ સિલિન્ડર અને કેરોસીનના ભાવમાં દર મહિને વધારો કરવો. જેથી તેના પર અપાતી રૂપિયા 80 હજાર કરોડની સબસિડીને ખતમ કરી શકાય. શું મોદી સરકાર ત્રણ મહિના બાદ એ પ્રસ્તાવ પર અમલ કરશે.. જેમાં એવું કહેવાયું છે કે દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવો.. સાથે કેરોસીનના ભાવમાં દર મહિને 50 પૈસાથી 1 રૂપિયાનો વધારો કરવો.
હાલના સમયે પ્રતિ સિલિન્ડર પર સરકાર 433 રૂપિયાની સબસિડી આપી રહી છે. જો દર મહિને પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે. તો પણ સબસિડીને સમાપ્ત કરવામાં સાત વર્ષનો સમય લાગે. આ સિવાય કેરોસીન પર સરકાર પ્રતિ લીટર 33 રૂપિયા સબસિડી આપે છે. જો માસિક 1 રૂપિયાનો વધારો કરવામાં આવે તો કેરોસીનમાં અપાતી સબસિડીને ખતમ થતાં અઢી વર્ષનો સમય લાગે. મહત્વનું છે કે યુપીએ સરકારે જાન્યુઆરી 2013માં ફેસલો કર્યો હતો કે ડી{લનો ભાવ દર મહિને 50 પૈસા વધારવામાં આવે. બે અવસરને બાદ કરતાં ડીઝલ પર માસિક ભાવવધારો થતો રહે છે અને હાલ ડીઝલ પરની સબસિડી ઘટીને પ્રતિ લીટર માત્ર 1 રૂપિયોને 62 પૈસા થઈ છે.
વર્ષ 2010માં રસોઈ ગેસ પરની સબસિડીથી સરકારી તિજોરી પર 23 હજાર 746 કરોડ રૂપિયાનો બોજો પડતો હતો. હાલમાં સરકારને તમામ પ્રકારના ઈંધણ પર અપાતી સબસિડીથી 1 લાખ 15 હજાર 548 કરોડ રૂપિયાનો નો બોજો પડી રહ્યો છે. સરકાર આ બોજો પોતાના પરથી હઠાવીને દેશને બોજામુક્ત બનાવવા માગે છે.