ગાંધી નિર્વાણ દિનને રક્તપિત્ત નિર્મલુ દિવસ તરીકે પણ ઉજવવામાં છે.સમાજમાં આ રોગનો ભોગ બનનાર લોકોનો પોતાના જ પરિવારજનો હાથ પકડવા તૈયાર હોતા નથી.ત્યારે હિંમતનગર પાસે આવેલા રાજેદ્રનગરના સહયોગ આશ્રમમાં આ દર્દીઓ સ્વમાનભેર જીવન ગાળી રહ્યા છે.
રકતપીત એવો રોગ છેકે જેનાથી લોકો દુર ભાગે છે. રક્તપિતના દર્દીઓ પાસે જતા લોકો સંકોચ અનુભવે છે. આજે આવા લોકોને સહયોગ આશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે.અહીં 300થી વધુ દર્દીઓ રકતપીતના છે. રકતપીતના રોગમાં શરીરમાં બેહરાશ અને ફોલ્લા પડે છે. આ આશ્રમમાં રકતપીત સાથે મંદબુધ્ધી અને વિકલાંગો સહિત અનાથ લોકો રહે છે. રકતપીતના પુરૂષ અને મહિલાઓના અહીં મેરેજ પણ કરાવવામાં આવે છે.જેમના બાળકો નોર્મલ હોય છે તેના અભ્યાસ માટે પણ અહીં સગવડ કરવામાં આવે છે. સાથે જ આવા દર્દીઓ કામ કરી શકે તેવા વિભાગમાં નોકરી પણ આપવામાં આાવે છે.
અહીં આશ્રમમાં તાજેતરમાં મહારાષ્ટ્રના મનોહરને વર્ષો પહેલા રકતપીતનો રોગ થયો હતો. તેનો દીકરો નોકરીની શોધમાં બહાર ગયો હતો.જે આજદિન સુધી પરત આવ્યો નથી.જે દુખમાં મનોહરની પત્ની પણ આઘાતમાં ને આઘાતમાં મોતને ભેંટી હતી. ત્યારબાદ મનોહરનરને અકસ્માતમાં હાથપગ કપાઇ જતા રકતપીત વધૂ સબળ બન્યો હતો. જેને લઇ તેના પડોશીઓએ ફાળો એકઠો કરી અહીં મોકલી આપ્યો હતો.હાલ મનોહર અહીં સુખેથી જીવન જીવે છે.
ગાંધીજી પણ રકતપીતના દર્દીઓની સેવા કરતા હતા. ગાંધીજીની જેમ જ સહયોગ સંસ્થામાં કોઇપણ સ્વાર્થ વિના રક્તપીતનાં દર્દીઓની સેવા કરવામાં આવે છે. જે ગાંધી નિર્વાણ દિવસે સાર્થક ગણાશે.