મુંબઈમાં ઝાલાવાડ બિઝનેસ ફોરમ અંતર્ગત ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડફેરનું ઉદ્ઘાટન મોતીલાલ ઓસ્વાલના હસ્તે કરવામાં આવ્યું.
ઓસ્વાલ સિક્યુરિટીઝના ચેરમેન મોતીલાલ ઓસ્વાલે ઉદ્યોગકારો માટે વિપુલ શક્યતાઓ રહેલી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.મોતીલાલ ઓસ્વાલે ઉદ્યોગકારોને નવી ટેક્નોલોજી અપનાવવાની સાથે નેટવર્કિંગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગકારોને ક્યારેય સંતોષ ન માનવો જોઈએ અને આગળ વધવાની સલાહ આપી હતી.
ઝાલાવાડ વિસ્તારના ઉદ્યોગકારોનું મુંબઈના ગોરેગાંવ એકસઝિબિસન સેન્ટર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વરમોરા ગ્રૂપના ચેરમેન પ્રકાશ વરમોરાએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસની ઘણી શક્યતાઓ રહી હોવાનું જણાવ્યુ હતુ. તેમનું માનવુ છે કે જિલ્લામાં મોટાભાગની પ્રાથમિક સુવિધાઓ અને ઈફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ હોવાથી સારો વિકાસ થઈ શકે છે.
આ બિઝનેસ ફોરમના અંદાજે 200 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મુંબઈમાં ઉદ્યોગ કરતાં ઝાલાવાડના વતનીઓએ ભાગ લીધો છે. આ એકસઝિબિસન બે દિવસ માટે યોજવામાં આવ્યું છે.. ઉદ્ઘાટન પ્રસંગે ઝાલાવાડ બિઝનેસ ફોરમના ચેરમેન ચેતનભાઈ વોરાએ ઉદ્યોગકારોને આવકાર્યા હતા.