પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેકઠમાં બાંધકામમાં ભ્રષ્ટાચાર મામલે હંગામો થયો હતો. બાંધકામની ગેરરિતીમાં કુલપતિ પણ સામેલ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે કારોબારી સભ્યોએ ગેરરિતી આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે વોકઆઉટ કર્યો હતો.
પાટણમા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કન્વેંશન હોલના બાંધકામ મામલે યુનિવર્સિટીના કેટલાક અધિકારી દ્વારા ઓવર ટેન્ડરીંગ કરીને ભ્રષ્ટાચાર આચરાયા હોવાની ફરિયાદ ઉઠી છે. બુધવારે યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેઠકમાં ભ્રષ્ટાચાર મામલો ગરમાયો હતો. જેમાં કારોબારી સભ્યોએ ગેરરિતી આચરનારા તમામ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. પરંતુ કુલપતિ અને ઉપકુલપતિએ કારોબારી સભ્યોની સભ્યોની વાત ન સાંભળતા સભ્યોએ વોકઆઉટ કરીને રોષ ઠાલવ્યો હતો. યુનિવર્સિટી કન્વેશન હોલના બાંધકામની ગેરરિતીમાં કુલપતિ પણ સામેલ હોવાના આક્ષેપો થતા યુનિ.તંત્ર કુલપતિના બચાવમાં આવ્યુ હતુ.. ગેરરિતી મામલે ઉપકુલપતિએ જણાવ્યુ હતુ કે ગેરરિતી મામલાનો એક માસમાં જ ઉકેલ લાવવામાં આવશે. જેમાં કારોબારી સમિતીની સંમતિથી તપાસ કમિટીના અહેવાલ બાદ જ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે. કારોબારીના સભ્યોને ભ્રષ્ટાચાર મામલે હંગામો કરી વોક આઉટ કર્યું હોવાનું મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. જયારે કુલપતિ અને ઉપકુલપતિ કંઈપણ ન થયુ હોવાનું ગાણું ગાઈ રહ્યા છે.
પાટણ યુનિવર્સિટી કન્વેશન હોલ બાંધકામ મામલે ઓવર ટેન્ડરીંગ કરીને ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો કારોબારી સમિતીના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે. અને ગેરરિતીની તટસ્થ તપાસ કરવા કારોબારી સભ્યો મેદાને પડયા છે. તો બીજી તરફ યુનિવર્સિટી તંત્ર તપાસ કમિટીના નામે જવાબદારોને છાવરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.