અરવલ્લીમાં આંગણવાડી કેદ્ર પર ચાલતી લાલીયાવાડીના કારણે જિલ્લાના બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. જિલ્લાના આંગણવાડી કેદ્ર પર સરકાર દ્વારા પુરતો અને પોષણશ્રમ આહાર અપાતો હોવા છતા બાળકો સુધી પહોંચતો નથી. પરંતુ તેનો સીધો જ વહીવટ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠી છે.
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. જેને લઈને સરકારે દેશના દરેક વિસ્તારમાં બાળકોને યોગ્ય પોષણશ્રમ અને શુદ્ધ આહાર મળી રહે તે માટે આંગણવાડી કે દ્ર કાર્યરત કર્યા છે. પરંતુ વાસ્તવિકતા ઉલટી છે..અરવલ્લી જિલ્લામાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. બાળકોને નિરાશાજનક અને પુરક પોષણ આપી બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. લોકોની ફરિયાદ છે કે મોડાસામાં આવેલી સર્વોદયનગરની આંગણવાડીમાં આંગણવાડી કાર્યકરો છેલ્લા ઘણા સમયથી ફરજ પર આવતા નથી.. તેમજ બાળકોને નાસ્તામાં રોટલી આપવામાં આવી રહી છે. જેને બનાવવા માટે આંગણવાડી કાર્યકરો સડેલા અનાજનો ઉપયોગ કરે છે. જેને લઈને વાલીઓએ નગર પાલિકા સદસ્યને ફરિયાદ કરી હતી. આ મામલે પાલિકા સદસ્ય અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લાની તમામ આંગણવાડીઓની મુલાકાતો લેવાય છે. પરંતુ અધિકારીઓની મીલીભગના કારણે સરકારી નિતી નિયમો નેવે મુકી બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બીજી તરફ મોડાસા બાળ વિકાસ અધિકારી આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાના ગાણા ગાઈ રહ્યા છે.
આંગણવાડીઓમાં સરકાર દ્વારા પુરતો અને પોષણક્ષમ ખોરાક આપવામાં આવે છે. પરંતુ વહીવટી તંત્રની ઢીલી નીતીના કારણે ખોરાક બાળકો સુધી પહોંચતો નથી. ત્યારે સવાલ એ થાય છે કે બાળકોના ભાગનો આ ખોરાક બારોબાર કોણ આરોગી જાય છે.