વલસાડના અંતરિયાળ ચાંદવેગણ ગામમાં 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્મયમય રીતે મોત થયું છે. આશ્રમશાળામાં વિદ્યાર્થી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો તેના પરિવાર શિક્ષક પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ચાંદવેગણ ગામમાં એક વિદ્યાર્થીના મોતે રહસ્ય સર્જ્યું છે. આશ્રમશાળામાં ભણતો અને ત્યાં જ રહેતો વિદ્યાર્થી નવીન ચૌધરીનું મોત થયું. 12 વર્ષના નવીનનો આશ્રમશાળા પાસે આવેલા જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
પોતાના વહાલસોયા દીકરાના કમોતના સમાચાર સાંભળીને તેના માતા-પિતા અને પરિવારના સભ્યો આઘાતમાં આવી ગયા. તો દીકરાના મોત સામે સવાલો પણ ઉઠાવ્યા.. નવીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વાત સ્વીકારવા તૈયાર નથી. તેમણે આશ્રમશાળાના શિક્ષક સામે હત્યા કરી હોવાનો આરોપ મૂ~યો છે. નવીનની માતાએ આક્ષેપ કર્યો કે આશ્રમશાળાના શિક્ષીકા અને શિક્ષક ના કરતૂત અગાઉ નવીન જોઇ ગયો હતો. શિક્ષકે નવીનને માર માર્યો હતો. તે અંગે નવીને માતાને ફરિયાદ પણ કરી હતી. હવે અચાનક નવીન આત્મહત્યા કરે તે વાત કોઇ હિસાબે ગામલોકો અને નવીનની માતા સ્વીકરવા તૈયાર નથી.
12 વર્ષનો બાળક જાતે ફાંસી ખાઈ આત્મહત્યા કરે તે વાત આમતો ગળે ઉતરતી નથી. કપરાડાની આશ્રમશાળા અનેક વિવાદોમાં સપડાયેલી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ સચ્ચાઈ સામે આવે છે તેની પર નજર મંડળાઈ છે.