વેરાવળના બોળાશ ગામમાં મનરેગા યોજનામાં 9 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ ગામના જ એક યુવકે કર્યો છે. ભ્રષ્ટાચાર મામલે તેમણે મંત્રીઓ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી પણ ન્યાય ન મળતાં યુવકે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.
ગીરસોમનાથ જીલ્લાના બોળાશ ગામે મનરેગા યોજનાના રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. આ કામમાં 10 જેટલા ભૂતિયા લોકોના નામે નાણાં ઓળવી લેવામાં આવ્યાં છે. આ કામમાં રૂપીયા 9 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે રામસી ભજગોતરે ક્રમશ તંત્રને અનેક વાર રજુઆતો કરી.. પરંતુ ન્યાય ન મળતાં અંતે તેણે હાઈકોટનાં દ્વાર ખખડાવ્યાં છે.
રામશીભાઈના કહેવા મુજબ ગામમાં રહેતા ન હોય તેવા અને આંગણવાડીના વર્કરનું નામ રોજમદાર તરીકે લખીને તેમજ બાબુભાઈ ભગતભાઈ નામની મૃત વ્યકિતનું નામ અને પીતાપુત્રના નામ આગળપાછળ રાખી 10 જેટલા ખોટા નામો પૈસા ઓળવી લેવાયા છે. આ ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ ડીડીઓ કલેક્ટર તેમજ મહેસુલમંત્રી આનંદીબહેન પટેલ અને લોકાયુક્તને પણ રૂબરૂ અરજી કરાઈ છે..
સામે પક્ષે સરપંચ ડોસાભાઈના પુત્ર મસરીભાઈએ આ આક્ષેપો નકારી કાઢયા છે. તેમણે કહ્યું છે કે તેમના પિતાને બાયપાસ સર્જરી કરાવેલી હોઈ હું કામગીરી સંભાળતો હતો. તેમણે કહ્યું કે આક્ષેપ કરનાર રમેશભાઈના ભાઈ ચૂંટણીમાં હારી જતાં ખોટા આક્ષેપો કરી મારા પિતા સરપંચપદેથી સસ્પેન્ડ થાય એમ ઇચ્છી રહ્યા છે. આ કેસની જુનાગઢ જીલ્લા દ્વારા તપાસ કરાઈ રહી છે..માટે જે સત્ય હશે તે બહાર આવેશ જ. આ ઘટનાનો ક્યાસ કાઢવા મીડીયા ટીમ બોળાશ પહોંચી તો તેને જાણવા મળ્યું કે આ કથીત કૌભાંડ બાદ તલાટી મંત્રી એક માસની રજા પર ચાલ્યા ગયા છે. જ્યારે ઇન્ચાર્જ મંત્રી પણ 15 દિવસથી ગામમાં આવ્યા નથી. ટીડીઓ પણ આક્ષેપને નકારી રહ્યા છે ત્યારે હાઇકોર્ટની તપાસ બાદ જ સત્ય સામે આવશે.