ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના ત્રણ મહત્વના સેલમાં પ્રમુખ તરીકે કોઈની નિમણુક કરવામાં આવી નથી. વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણી અગાઉ નરહરી અમીન સાથે મોટા ભાગના કાંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. જેમાં ઇકોનોમી અફેર્સ અને કિસાન સેલના પ્રમુખ પણ હતા. સાથે જ અધ્યાપક સેલના પ્રમુખે પણ પોતાનુ પદ છોડયુ હતુ.
ગુજરાતમાં છેલ્લા બેદાયકાથી વિપક્ષમાં રહેલી કાંગ્રેસ પાર્ટી હજુ સફળ વિરોધ કરી શકી નથી. જેના કરણોમાં કાંગ્રેસના નબળા સંગઠન અને પ્રજાને લગતા પ્રશ્નોને વાચા આપવામાં નિક્રિયતાને જવાબદાર ગણવામાં આવે છે. ગુજરાત કાંગ્રેસ સમિતિમાં અલગ અલગ સમુદાયને આવરી લેતા 31 સેલ અને 4 ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેનશ સહિત કુલ 35 સેલ છે. જેમાંના મોટા ભાગના સેલ સુસુપ્તા અવસ્થામાં છે ચોકવાનારી વાતએ છે કે બે મહત્વના સેલ એવા કિસાન સેલ અને અધ્યાપક સેલના પ્રમુખની જગ્યા એક વર્ષથી ખાલી છે. તો ઇકોનોમી અફેર્સ સેલની જવાબદારી જુના જોગીને આપવામાં આવી છે.
કોંગ્રેસમાં ઇકોનોમી અફેર્સ સેલનું કામ નાના ઉદ્યોગો તથા નાના વેપારીની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે. આ સમસ્યાને સરકાર સુધી પહોચાડવાની અને જરૂર પડે તો આંદોલન કરવાની હોય છે. કાંગ્રેસના આ સેલમાં પ્રમુખ તરીકે બીપીન પટેલ જવાબદારી બજાવતા હતા. તેઓએ વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણી માટે વટવાથી ટીકીટ માંગી હતી. જો કે ટીકીટ ન મળતાં તેઓએ નરહરી અમીન સાથે ભાજપાની વાટ પકડી હતી. ત્યારથી આ સેલ સેનાપતી વિનાનો હતો. જો કે બિપીન પટેલને ભાજપમાં મજા ન આવતાં ફરી પાછા કાંગ્રેસમાં પરત ફર્યા છે. તેમના માથે ફરી જુની જવાબદારી મુકવામાં આવી છે. પણ મહત્વની વાત એ છે કે છેલ્લા 12 માસમાં નાના ઉદ્યોગકારો અને વેપારીઓના પ્રશ્ર્નોને વાચા આપતો કોઇ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી.
ગુજરાત કા^ગ્રેસ સમિતિના અધ્યાપક સેલના પ્રમુખ તરીકેની જવાબદારી સહજાનંદ કોલેજના પ્રોફેસર દિગ્વીજયશસહના શિરે હતી. આ સેલનુ કામ અધ્યાપકોના પડતર પ્રશ્નોને વાચા આપવાનું હોય છે. જેમકે પગાર પંચના લાભ પગારની વિસંગતતા નોકરીના રક્ષણ માટેના પ્રશ્નો નોકરીમાં સહાયક પ્રથા કામના કલાકો બંધભરતી પ્રક્રિયા સામે અવાજ ઉઠાવવો પેન્શન અને ગ્રેચ્યુઈટી સામે અવાજ ઉઠાવવો. જો કે દિગ્વીજયશસહ પણ નરહરી અમીનના નજીકના હોવાથી તેમણે પણ કા^ગ્રેસ સાથે છેડો ફાડયો હતો. જો કે દિગ્વીજય સિંહે કેસરિયા તો ન કર્યા પણ પોતાનું પદ છોડી દીધુ. ત્યારથી આ સેલમાં પણ પ્રમુખનું પદ ખાલી છે. છેલ્લા એક વર્ષમાં આ સેલે પણ અધ્યાપકોને લગતુ એક પણ કામ કર્યુ નથી. કિસાન સેલના પણ આવા જ હાલ છે. ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે. ખેતી માટે પુરતી વિજળી મળતી નથી ખેડૂતોની આ રાવ ખુબ જ જુની છે. ગુજરાતમાં ખેડૂત સૌથી મોટો સમુદાય છે. એક રચાનાત્મક વિપક્ષ તરીકે કાંગ્રેસની જવાબદારી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની છે. જો કે કિસાન કાંગ્રેસ સેલમાં કોઇ કાયમી પ્રમુખ નથી. દશરથ પટેલ કિસાન કાંગ્રેસ સેલના પ્રમુખ હતા પણ તેમણે નરહરી અમીન સાથે ભાજપની વાટ પકડી અને સેલ ખાલી પડયો. હાલ આ સેલના કાર્યકારી પ્રમુખ તરીકે મોતીભાઇ ચૌધરી સેવા આપી રહ્યા છે.
કોઇ પણ રાજકીય પાર્ટી માટે સંગઠન મહત્વનું છે. ગુજરાત કાંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. એમાંય વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણીમાં નરહરી અમીને કાંગ્રેસમાં મોટુ ગાબડુ પાડયુ હતુ જે હજુ પુરાયુ નથી. જેની સાબીતી કાંગ્રેસના પ્રમુખ વિનાના સેલ છે. જો કે હજુ કા^ગ્રેસ આને વ્યવસ્થાનો ભાગ ગણાવે છે.