સુરતના અંબાજી રોડ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે સોનીની હત્યાની ઘટના બની છે.અંબાજી રોડના હવાડિયા ચકલા પાસે આવેલ સોની કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતાં રાજેદ્રભાઈ જગન્નાથ પવાર બપોરે દોઢ વાગ્યાના સુમારે દુકાનમાં એકલા હતા ત્યારે અચાનક બે શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને ધાતક હથિયારો વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
સુરતના અંબાજી રોડના હવાડિયા ચકલા પાસે આવેલ સોની કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતાં રાજેદ્રભાઈ જગન્નાથ પવારની લૂંટના ઈરાદે હત્યા કરાઈ છે.. રાજેદ્રભાઈ જગન્નાથ પવાર સોનું લે- વેચનો ધંધો કરે છે.. રાજેદ્રભાઈ બપોરે દોઢ વાગ્યાના સુમારે દુકાનમાં એકલા હતા ત્યારે અચાનક બે શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા..અને ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા..ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડોગસ્કવોડ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં લાશની બાજુમાંથી ઘાતક હથિયાર અને લોહીથી રંગાયેલો મોબાઇલ મળી આવ્યો છે.. હત્યા બાદ ભાગેલા હત્યારાઓને લોકોએ જોયા હોવાનું પણ જાણવા મળ્યું છે જેની પોલિસ તપાસ કરી રહી છે આ સિવાય જયાં ઘટના બની ત્યાં કોઇ CCTV કેમેરા ન હતા..પરતું આજુ બાજુમાં આવેલ અન્ય બજારોના CCTV કેમેરાને આધારે પોલિસે તપાસ હાથ ધરી છે.. જો કે હત્યા લૂંટના ઇરાદા સાથે કરવામાં આવી હતી કે કેમ તેની હજી પોલીસ તપાસ કરી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી લૂંટના ઇરાદા સાથે સોનીઓ પર થઇ રહેલા હુમલાઓના કારણે સોનીઓ ચિંતાતુર છે ત્યારે સોનીઓને કયારે સુરક્ષા મળશે.